Tuesday, July 28, 2009
Monday, July 27, 2009
૧૫ લાખની ખંડણી વસૂલવા ધોળેદિવસે વેપારીનું અપહરણ
થાણે સ્થિત ઘોડબંદર વિસ્તારમાં પંદર લાખ રૂપિયાની ખંડણી વસૂલવા ધોળેદિવસે એક સ્થાનિક વેપારીનું અપહરણ થયું હતું. જોકે પેટ્રોલિંગ કરતી પોલીસ ટીમની સતર્કતાને કારણે અપહૃત વેપારીનો હેમખેમ છુટકારો થયો હતો તેમ જ છ અપહરણકર્તાઓ સાથે ગુનાખોર ટોળકી આબાદ રીતે પોલીસની પકડમાં આવી હતી. વેપારીના અપહરણની આખી યોજના તૈયાર કરી પાર પાડનારો સૂત્રધાર આરોપી ગિરિજા પ્રસાદ ગુપ્તા ઉર્ફે છોટુ ફરાર છે. છોટુ અપહરણ થયું હતું તે વેપારીનો મામનો દીકરો છે. ટૂંક સમયમાં તે પણ પકડમાં આવી જશે, એમ સિનિયર પીઆઇ પ્રકાશ ગવ્હાણેએ જણાવ્યું હતું.
થાણે સ્થિત કાપુરબાવડીના મનોરમા નગરમાં મોબાઇલનો વ્યવસાય કરતા જિતેન્દ્ર ગુપ્તાએ થોડા સમય પહેલાં પોતાનો એક ફલેટ ત્રીસ લાખ રૂપિયામાં વેરયો હતો. આ ઘટનાની જાણ ગિરિજા ગુપ્તાને થઇ હતી. વેપારીનું અપહરણ કરાય તો તેના પરિવારજનો મકાન વેચીને આવેલી રકમમાંથી અડધી રકમ આસાનીથી આપી દેશે, એવી ગણતરી સાથે ગિરિજાએ જિતેન્દ્રના અપહરણની યોજના બનાવી હતી. શનિવારે મોબાઇલ ફોનના મોટા જથ્થાની ડીલ કરવાને બહાને ગિરિજાએ જિતેન્દ્રને ઘોડબંદર રોડ પર બોલાવ્યો હતો.
ગિરિજાના સાથીદારોએ જિતેન્દ્રને ઇન્ડિકા કારમાં બેસાડી બેહોશીનું ઇન્જેકશન મારી દીધું હતું. આરોપીઓ જિતેન્દ્રને લઇને શહેરની બહાર નીકળવાની તૈયારીમાં જ હતા ત્યારે પોલીસે શંકાસ્પદ જણાઇ આવેલી કારની તપાસ કરી અપહૃત જિતેન્દ્રને ઉગારી લીધો હતો. જિતેન્દ્રનું અપહરણ કરનારા અશોકસિંહ, દેવનારાયણ શાહુ, રણજિત યાદવ, અરવિંદ યાદવ, મધુકર કોથમિરે અને અજયસિંહને ઝડપી લીધા હતા.
મુંબઈ 2003 બ્લાસ્ટઃ બધા આરોપીઓ દોષિત જાહેર

મુંબઈના ગેટ વે ઓફ ઈન્ડિયા અને ઝવેરી બજાર ખાતે છ વર્ષ પહેલા થયેલા બોમ્બ વિસ્ફોટનો ચુકાદો આજે વિશેષ પોટા કોર્ટે આપ્યો હતો. કોર્ટે ટ્વિન બ્લાસ્ટના ત્રણેય આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા. બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ ચોથી ઓગસ્ટના રોજ કોર્ટ ત્રણેય આરોપીઓને સજાની સુનાવણી કરશે. ત્રણેય આરોપીઓને ફાંસી સુધીની સજા થઈ શકે છે. સ્પેશિયલ પોટા કોર્ટના ન્યાયધિશ એમ આર પુરાનિકે હનિફ સૈયદ, તેની પત્ની ફહમીદા અને અશરફ અન્સારીને મુંબઈ બ્લાસ્ટ સંદર્ભે દોષિત જાહેર કર્યા હતા. બ્લાસ્ટની આરોપી ફહમીદાને છ વર્ષ સુધી ભાયખલાની મહિલા જેલમાં રાખવામાં આવી હતી. જ્યારે અન્ય બે આરોપીઓને મુંબઈની આર્થર રોડ જેલમાં રાખવામાં આવ્યા હતા. 25 ઓગસ્ટ 2003ના રોજ મુંબઈના ગેટ વે ઓફ ઈન્ડિયા અને ઝવેરી બજાર ખાતે થયેલા બ્લાસ્ટમાં 52 લોકોના મોત થયા હતા. જ્યારે 100થી વધુ લોકો ઘાયલ થયા હતા.
२००३ स्फोट: अखेर तिघे दोषी

मुंबईतील गेटवे ऑफ इंडिया व झव्हेरी बाजार येथे २५ ऑगस्ट २००३ रोजी झालेल्या भीषण बॉम्बस्फोटप्रकरणी अखेर सहा वर्षानंतर तिघा आरोपींना दोषी ठरवण्यात आले. या तिघांना सोमवारी शिक्षा सुनावण्यात येईल. अशरत अन्सारी (३२) , सय्यद अनीस (४६) आणि त्याची पत्नी फहमिदा सय्यद (४३) अशी या तिघांची नावे आहेत. या तिघांवर ' पोटा ' अंतर्गत विशेष पोटा कोर्टामध्ये खटला चालवण्यात आला . लष्कर-ए-तोयबाचा या दुहेरी बॉम्बस्फोटात हात असल्याचे स्पष्ट झाले आहे. सोमवारी ४ ऑगस्टला या दोषी आरोपींना शिक्षा सुनावण्यात येईल. यात या दोषींना कमीत कमी जन्पठेप किंवा फाशीची शिक्षा व्हावी अशी मागणी करू, असे विशेष सरकारी वकील उज्ज्वल निकम यांनी सांगितले. अशा अतिरेकी कारवाईत एखाद्या दांपत्याला दोषी ठरवण्याची ही देशातील पहिलीच वेळ असावी. ५२ जणांचा बळी व सुमारे शंभर जणांना गंभीर जखमी केलेल्या या बॉम्बस्फोटांनी सहा वर्षांपूर्वी मुंबई हादरली होती. मोहम्मद अन्सारी लड्डूवाला आणि मोहम्मद हसन बॅटरीवाला या दोघा आरोपींना ' पोटा ' आढावा समितीने गेल्यावर्षी ' क्लीन चिट ' दिल्याने कोर्टाने त्यांना आरोपमुक्त केले होते. विशेष सरकारी वकील उज्ज्वल निकम यांनी या खटल्यात १०३ साक्षीदार तपासले असून त्यापैकी गेट वेजवळ बॉम्ब ठेवलेल्या टॅक्सीचा चालक हा महत्त्वाचा साक्षीदार आहे. लड्डूवाला आणि बॅटरीवाला या दोघांना अनुक्रमे मुंब्रा व कुर्ला येथून अटक करण्यात आली होती. बॅटरीवालाच्या दुकानातून ७५० ग्रॅम आरडीएक्स व लड्डूवालाच्या घरातून दोन हातबॉम्ब जप्त झाले. मात्र हा पुरावा ग्राह्य नसल्याचे मत ' पोटा ' समितीच्या अहवालात नमूद झाले. लड्डुवाला व बॅटरीवाला या दोघांना कोर्टाने आरोपमुक्त केल्याने स्फोटके कुणी दिली हा मुद्दा पुढे आला. कटाचा मुख्य सूत्रधार नासिर अहमद हा शिवाजी पार्क येथे पोलिसांशी झालेल्या चकमकीत ठार झाला होता. मुख्य तपास अधिकारी सुरेश वलीशेट्टी यांच्या मार्गदर्शनाखाली पोलिस निरीक्षक सावदे , सहायक पोलिस निरीक्षक योगेश चव्हाण , सूर्यकांत तळेकर यांनी केला.
Subscribe to:
Posts (Atom)



